સરદાર પટેલ યુનિવસિર્ટીના અનુસ્નાતક વિભાગોમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે સરદાર પટેલ યુનિવસિર્ટી સોશિયલ મીડિયા સેલ દ્વારા લોકશાહી પર્વ પ્રથમ રાઉન્ડ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નિબંધ સ્પર્ધાના વિષયો આ મુજબ છે:
૧. મતદાન- એક રાજનૈતિક પ્રક્રિયા ૨. નારી શક્તિ : લોકતંત્રની મજબૂતી ૩. પ્રથમ મત.
લોકશાહી પર્વના અંતર્ગત પ્રથમ રાઉન્ડ નિબંધ સ્પર્ધામાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને ગ્રુપ ડિસ્કશન (Debate) માટે આગળના બીજા રાઉન્ડમાં મોકલવામાં આવશે.
જે વિધાર્થીઓ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતાં હોય તેઓ એ નીચે આપેલ ગુગલ લિંક પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રેહશે.